સમગ્ર વિશ્વના દેશોમાં કોરોના વાઇરસ નો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે પંચમહાલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોગપ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે અહી હાલોલ બસ સ્ટેન્ડ પાસે કરવામાં આવ્યો હતો ત્યાં બાજુમાં આવેલી પોલીસ ચોકી મા પણ વિતરણ કર્યું હતું . આ ઉકાળો દરેક દુકાનદારો,વેપારીઓ, અને હોટેલમાં અને આજુબાજુ ના લોકો સુધી પહોંચી શકે તે માટે બે અલગ અલગ ટીમ બનાવી ને પહોંચાડવામાં આવ્યો હતો.
જેમાં અંદાજે ૧૦૦૦ જેટલા લોકોએ આરોગ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો આ ઉકાળા વિતરણ કાર્યક્રમમાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ નિમિષાબેન પટેલ , પંચમહાલ મહિલા મહામંત્રી કિર્તીબેન પટેલ, હાલોલ તાલુકા પ્રમુખ તેજલ બેન દરજી, હાલોલ ઉપપ્રમુખ પારૂલબેન દરજી, સામાજિક કાર્યકર પીનલભાઈ પટેલ,હાલોલ નગર સેવા સદન પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ, ભારતીય જનતા પાર્ટી હાલોલ શહેર ઉપપ્રમુખ શીતલ બેન દરજી ,હાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો મહામંત્રી અલ્પેશ કુમાર દરજી, તથા હાલોલ કુમાર ખમણ હાઉસ ના ધર્મેશભાઈ કોઠારી તેમજ મહેશભાઈ ગ્લાસ વારા એ માસ્ક નું વિતરણ કરી લાભ લીધો હતો.
રિપોર્ટર :- નવનીતભાઈ ગોહિલ હાલોલ
No comments:
Post a Comment